18 September, 2019 12:20 PM IST | રાજકોટ
યે રિશ્તા ક્યા કહલાતા હૈ
સ્ટાર પ્લસ પર ૩૦૦૦ એપિસોડ પૂરા કરનારી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માટે મોટા ખુશખબરની વાત એ છે કે જાહેર થયેલા બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (ટૂંકમાં બાર્ક)ના આંકડાઓ મુજબ છેલ્લા સતત દોઢ વર્ષથી એ હજી પણ નંબર-વન સ્થાને છે. એકધારી આટલી લાંબી આવરદા અને એ પછી પણ એકધારી નંબર-વન રહેનારી સિરિયલનું પ્રોડ્યુસર ડિરેક્ટર્સ કટ પ્રોડક્શન છે. સિરિયલ ૨૦૦૮માં ૧૧ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી.
આ પણ વાંચો : Kapil Sharma Show માં કમબૅક પર સુનીલ ગ્રોવરે આપ્યું નિવેદન
સિરિયલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એમાં બે જનરેશન લેવામાં આવી છે. પહેલી જનરેશનનાં લીડ સ્ટાર હિના ખાન, અક્ષરા સિંઘાનિયા, કરણ મહેરા અને નૈતિક સિંઘાનિયા હતાં, જ્યારે સેકન્ડ જનરેશનમાં શિવાંગી જોષી અને મોહસિન ખાન છે.