તારક મહેતાની બબીતાજી હંમેશા પોતાની સાથે રાખે છે એક ડબ્બો, જાણો શું છે

19 September, 2020 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મહેતાની બબીતાજી હંમેશા પોતાની સાથે રાખે છે એક ડબ્બો, જાણો શું છે

મુનમુન દત્તા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં (Taarak Mehta Ka Ooltah Chashmah)ના લોકપ્રિય અને ફૅમસ કલાકારોમાં બબીતાજી પણ સામેલ છે. મુનમુન દત્તા આ ભૂમિકા સારી રીતે ભજવી રહી છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ચાહકો પણ ઓછા નથી. આ જ કારણ છે કે એમની ગણતરી દેશની સૌથી લોકપ્રિય ટીવી એક્ટ્રેસમાં થાય છે. મુનમુનને પ્રાણીઓને ખૂબ જ પસંદ છે. ઈન્સ્ટાગ્રામ પર તે ન ફક્ત પોતાની સુંદર તસવીરો શૅર કરે છે, પરંતુ પાળતું પ્રાણી સાથે પણ એમની તસવીરો તમે જોઈ શકો છો, કે મુનમુન દત્તાને પ્રાણી પ્રત્યે ઘણો પ્રેમ છે. બબીતાજી રખડતાં પ્રાણીઓને મદદ કરવા માટે પણ પ્રખ્યાત છે.

અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે મુનમુન દત્તાએ ગોરેગાંવ ફિલ્મ સિટીની આસપાસના વિસ્તારોમાં રખડતા પશુઓની સેવા માટે મુંબઈ પોલીસની વિશેષ પરવાનગી લીધી હતી. તાજેતર જાણકારી એ પણ છે કે મુનમુન દત્તા તેની સાથે એક ખાસ કીટ રાખે છે. તે કોઈ મેકઅપ બૉક્સ નથી, પણ તેમાં એન્ટિફંગલ સ્પ્રે, એન્ટિબેક્ટેરિયલ સ્પ્રે અને અન્ય દવાઓ સામેલ છે.

આ ખાસ કીટ હંમેશા તેમની કારમાં હાજર હોય છે. જ્યાં પણ કોઈ રખડતાં કૂતરા અને અન્ય પ્રાણી ચેપથી પીડાતા જોવા મળે છે, તેઓ તેની સારવાર કરે છે. આ માહિતી બહાર આવતાની સાથે મુનમુન દત્તાના પ્રત્યે લોકોમાં આદર વધ્યો છે. ચાહકોનું કહેવું છે કે તેની સુંદરતા અને શાનદાર અભિનય પછી મુનમુન દત્તાનું આ કામ જોઈને તેમના પ્રત્યે માન વધુ વધ્યું છે. મુનમુન સાચા અર્થમાં એક રોલ મૉડલ છે.

એનિમલ ફાર્મ શેલ્ટર બનાવવા માંગે છે બબીતાજી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજીએ થોડો સમય પહેલા પોતાનું સ્વપ્ન શેર કર્યું હતું. તેણે કહ્યું હતું કે તે પશુ ફાર્મનો શેલ્ટર બનાવવા માંગે છે. એ જગ્યા ફક્ત રખડતાં પ્રાણીઓ માટે જ રહેશે, જ્યાં તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. બબીતાજી સતત આ દિશામાં પ્રયાસ કરી રહી છે અને તેને વિશ્વાસ છે કે એક દિવસ તેને જરૂર સફળતા મળશે.

taarak mehta ka ooltah chashmah tv show television news indian television entertainment news dilip joshi