‘અવતાર’ને ઇન્ડિયામાં રીરિલીઝ કરવામાં આવશે

25 August, 2022 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને બેસ્ટ સિનેમૅટોગ્રાફી, બેસ્ટ આર્ટ ડિરેક્ટર અને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સના અવૉર્ડ્સ મળ્યા હતા

અવતાર ફિલ્મ

ત્રણ ઑસ્કર અવૉર્ડ જીતનારી જેમ્સ કૅમરુનની ‘અવતાર’ને ઇન્ડિયામાં ફરી રી-રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને બેસ્ટ સિનેમૅટોગ્રાફી, બેસ્ટ આર્ટ ડિરેક્ટર અને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સના અવૉર્ડ્સ મળ્યા હતા. આ ફિલ્મને ફરી ૨૩ સપ્ટેમ્બરે ઇન્ડિયામાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનો બીજો પાર્ટ ૨૦૨૨ની ૧૬ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી રહ્યો છે. આ ​ફિલ્મ વર્ષો પહેલાં આવી હોવાથી દર્શકોને ફરી એની યાદો તાજી કરવા માટે રીરિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ રિલીઝ થાય એના એક અઠવાડિયા બાદ હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ‘વિક્રમ વેધા’ને રિલીઝ કરવામાં આવશે.

entertainment news hollywood news upcoming movie avatar james cameron