‘અવતાર’ની સીક્વલ ફ્લૉપ રહી તો પછી એક પણ ફિલ્મ બનાવવામાં નહીં આવે : જેમ્સ કૅમરુન

09 November, 2022 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સીક્વલને આવતા મહિને રિલીઝ કરવામાં આવી રહી છે.

જેમ્સ કૅમરુન

જેમ્સ કૅમરુનનું કહેવું છે કે ‘અવતાર’ની સીક્વલ ‘અવતાર : ધ વે ઑફ વૉટર’ નિષ્ફળ રહી તો એની ફરી એક પણ સીક્વલ બનાવવામાં નહીં આવે. આ સીક્વલને આવતા મહિને રિલીઝ કરવામાં આવી રહી છે. આ સિરીઝની અન્ય ફિલ્મોની પણ જાહેરાત કરવામાં આવી છે અને એને કયા વર્ષમાં રિલીઝ કરવામાં આવશે એની પણ જાહેરાત થઈ ગઈ છે. જોકે આ વિશે વાત કરતાં જેમ્સ કૅમરુને કહ્યું કે ‘માર્કેટ અમને કહેશે કે અમારે ફિલ્મ બનાવવી કે નહીં. જો નિષ્ફળ રહી તો અમે સીક્વલ નહીં બનાવીએ. જો ફિલ્મ થોડીઘણી ચાલી તો અમે ત્રીજો પાર્ટ બનાવીને પડતું મૂકીશું. અમે ફિલ્મ બનાવ-બનાવ નહીં કરીએ. પ્રૉફિટેબલ હશે તો જ અમે વિચારીશું.’

entertainment news hollywood news avatar james cameron upcoming movie