Sarathi: ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવનારા ચંદ્રશેખર શુક્લાએ જણાવ્યું કોણ છે તેમના જીવનનું સારથી

16 July, 2022 06:05 PM IST  |  Mumbai | Karan Negandhi

ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવનારા ચંદ્રશેખર શુક્લાએ પોતાનો અનુભવ શેર કર્યો

તસવીર સૌજન્ય: કીર્તિકા ભટ્ટ

ગુજરાતી ફિલ્મ ‘સારથી’ ૧૫ જુલાઈએ રિલીઝ થઈ છે. જાણીતા અભિનેતા ચંદ્રશેખર શુક્લા આ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા મહિલા કેન્દ્રિત છે અને તે એક અનાથ બાળક અને વૃદ્ધ મહિલાની આસપાસ ફરે છે જેમના જીવન આકસ્મિક રીતે વાર્તામાં એકબીજા સાથે જોડાય છે. ફિલ્મમાં ચંદ્રશેખર શુક્લા સાથે પ્રતીક ગાંધી, મીનળ પટેલ, છાયા વોરા જેવા દિગ્ગજ કલાકારો પણ મોટા પડદા પર જોવા મળશે.

ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવનારા ચંદ્રશેખર શુક્લાએ પોતાનો અનુભવ શેર કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “મેં જ્યારે ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે જ તેના માટે હા પાડી દીધી હતી. ફિલ્મની ટીમ નાની છે, પરંતુ ખૂબ જ ડેડિકેટેડ છે. તેમની સાથે કામ કરવાની ખરેખર મજા આવી.”

સારથી વિશે તેમણે કહ્યું કે “આ એક સબ્જેકટિવ અને સુંદર મેસેજ સાથેની ફિલ્મ છે. ફિલ્મનું નામ અને વાર્તાને એકદમ અનુરૂપ છે."

જ્યારે અમે પૂછ્યું કે તમારું ‘સારથી’ કોણ તો જવાબ આપતા તેમણે કહ્યું કે “મારો પરિવાર. મારા મા-પિતા જ્યારે હયાત હતાં ત્યારે તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. હવે મારી પત્નિ, મારો દીકરો અને તેની પત્નિ પણ મને ખૂબ જ સપોર્ટ કરે છે. તેમના કારણે જ હું મારું કામ ચિંતામુક્ત થઈને કરી શકું છું.”

entertainment news dhollywood news