08 October, 2021 08:15 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનીલ સુચક
ગુજરાતી રંગભૂમિના કલાકાર અને અનેક ગુજરાતી ટેલિવિઝન સીરિયલના દિગ્દર્શક સુનીલ સૂચકનું આજે અવસાન થયું છે. 46 વર્ષની ઉંમરે તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા.
આજે એટલે કે શુક્રવારે સવારે અમદાવાદ ખાતે હૃદય રોગના હુમલાને કારણે સુનીલ સૂચકનું દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાન પર ગુજરાતી ઈન્ડસ્ટ્રીના કલાકારો દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે.
સંજય ગોરડિયાએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે` આજે સવારના અમદાવાદ ખાતે લો ગાર્ડન પાસે સવારના 7 થી 9 વાગ્યા સુધી શૂટિંગ હતું. સવારથી એને હાથમાં દુખાવો હતો. શૂટ પૂરું કરી બીજા સ્થળે શૂટ કરવા માટે નીકળ્યા ત્યારે અચાનક સુનીલના મોઢામાંથી ફીણ નીકળ્યું અને એને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. પરંતુ હોસ્પિટલ પહોંચ્યા એ પહેલા જ તેમણે દેહ છોડી દીધો હતો.`
સુનીલ સૂચકના પાર્થિવ દેહને લઈ એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યો છે.