ગો સેલેબના ચિરાહ શાહે નવરાત્રિ પર ગુજરાતી સ્ટાર સિંગર્સ સાથે હાથ જોડ્યો

27 August, 2019 11:30 AM IST  |  Ahmedabad | Partnered Content

ગો સેલેબના ચિરાહ શાહે નવરાત્રિ પર ગુજરાતી સ્ટાર સિંગર્સ સાથે હાથ જોડ્યો

ગો સેલેબના ચિરાગ શાહ બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન સાથે

Ahmedabad : ગો સેલેબના સ્થાપક ચિરાગ શાહે મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદ સહિત પાંચ શહેરોમાં યોજાનારી નવરાત્રિ માટે ભૂમિ ત્રિવેદી, ઓસ્માણ મીર, દતીન પંડિત, દેવાંગ પટેલ, અરવિંદ વેગડા, નિશા અને નિગમ ઉપાધ્યાય, સત્યેન વાઘેલા, જિગરદાન જિગરા, નિરાળી ફોજદાર સહિત અનેક કલાકારો સહિત સેંકડો મ્યુઝિશિયનોને આ વરસે યોજાનારી નવરાત્રિ માટે સાઇન કર્યા છે.

આ અગાઉ ગો સેલેબ દ્વારા આયોજિત પ્યારેલાલજીના શોને મળેલી અભૂતપૂર્વ સફળતાએ અમને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું અને ભવિષ્યમાં એના કરતા વધાર ભવ્ય કાર્યક્રમો યોજવા માટે પ્રેરણા આપી એ હોવાનું ચિરાગ શાહે જણાવ્યું હતું. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે અમે 2019ના અંત સુધીના કાર્યક્રમોનું અમે આયોજન કરી રાખ્યું છે. જેમાં સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, બપ્પી લાહિરી, સલમાન અલી, જાવેદ અલી, પંકજ ઉધાસ, લલિલત પંડિત અને શાન સહિત જાણીતા કલાકારો સાથે પાંચ શહેરોની ટુરનું આયોજન કર્યું છે. નવરાત્રિને રંગીન બનાવવા 40 જેટલા ગાયકોને સાઇન કરવા ઉપરાંત માતાજીના પર્વના નવ દિવસને આનંદદાયક બનાવવા માટે બીજા પણ મજેદાર આયોજનો પ્રસ્તુત કરાશે.

ઑનલાઇન આર્ટિસ્ટ બુકિંગ પોર્ટલ શરૂ કરવાની સાથે ભાવિ યોજનાઓ અંગે જણાવતા એન્ટરટેઇન્મેન્ટ ફર્મના ચિરાગ શાહે કહ્યું હતું કે, અમારો, ગોસેલેબનો ઉદ્દેશ લોકોને શ્રેષ્ઠ મનોરંજન પૂરૂં પાડવાનો છે. ફિલ્મોમાં અગાઉ શૂટ થયેલું કન્ટેન્ટ લોકોને જોવા મળે છે, જ્યારે ગાયકોના લાઇવ કન્સર્ટમાં લોકોને મનોરંજનનો અન્ય વિકલ્પ મળી રહે છે. કલાકારો પણ તેમના પોતાના શોનું પ્લાનિંગ કરી શકે છે. અમે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ કલાકારોને સાઇન કર્યા છે અને એમાં વધારો થતો રહે છે.

gujarati film dhollywood news