30 March, 2024 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
સુભાષચંદ્ર બોઝે ભારતને આઝાદી અપાવવા માટે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી અને એની સાથે શાહરુખ ખાનનું પણ કનેક્શન છે એવું નેતાજીની લાઇફ પરથી ડૉક્યુમેન્ટરી ‘ધ ફરગૉટન આર્મી – આઝાદી કે લિએ’ બનાવનાર કબીર ખાનનું કહેવું છે. આ શોમાં શાહરુખ ખાને નરેટરનો અવાજ આપ્યો હતો અને એ પણ તદ્દન ફ્રીમાં. શાહરુખ વિશે હાલમાં એક શોમાં આ વિશે વાત કરતાં કબીર ખાને કહ્યું કે ‘મેં એક ચાન્સ લેવાનું નક્કી કર્યું અને ફોન કરીને પૂછ્યું કે ‘શાહરુખ મેં એક સિરીઝ બનાવી છે આઝાદ હિન્દ ફૌજ પર, તું એમાં અવાજ આપશે?’ તેણે તરત જ મને હા પાડી હતી. તે બાંદરાના ડબિંગ સ્ટુડિયોમાં આવ્યો અને ફ્રીમાં તેણે વૉઇસઓવર આપ્યો. તેણે પૈસા લેવાની ના પાડી દીધી. અમે બન્ને એકમેકને વર્ષોથી ઓળખીએ છીએ. તેણે ઇન્ડસ્ટ્રી જૉઇન કરી એ પહેલાંથી હું તેને ઓળખું છું. હું ગૌરીનો ફ્રેન્ડ હતો. શાહરુખ ખાનના પિતા જનરલ શાહનવાઝ ખાનની નજીક હતા. આઝાદ હિન્દ ફૌજના ઘણા જનરલ હતા અને એમાંથી એક શાહનવાઝ ખાન પણ હતા. આથી આઝાદ હિન્દ ફૌજ સાથે શાહરુખનું પણ કનેક્શન છે.’