‘ધ બેંગાલ ફાઇલ્સ’માં ગોપાલ મુખર્જીને કસાઈ કહેવામા આવતા તેમના પૌત્રએ દાખલ કરી FIR

19 August, 2025 07:05 AM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

ગોપાલ મુખર્જી, જે `ગોપાલ પાઠા` તરીકે જાણીતા છે, એક પ્રખ્યાત બંગાળી સેનાની હતા જેમણે 1946 ના રમખાણોને નિયંત્રિત કરવામાં અને હિન્દુઓને અત્યાચારોથી બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, શાંતનુનો આરોપ છે કે ફિલ્મ તેમને ખોટી રીતે રજૂ કરે છે.

‘ધ બેંગાલ ફાઇલ્સ’નું એક સીન અને વિવેક અગ્નિહોત્રી (તસવીર: X)

બૉલિવૂડ ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ બેંગાલ ફાઇલ્સ’ રિલીઝ પહેલા જ ખૂબ જ વિવાદમાં ફસાઈ છે. હવે આ ફિલ્મના એક પાત્રને લઈને નવો વિવાદ શરૂ થયો છે. ફિલ્મમાં બતાવેલ પ્રખ્યાત વ્યક્તિ ગોપાલ મુખર્જીના પૌત્ર શાંતનુ મુખર્જીએ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ બેંગાલ ફાઇલ્સ’ અંગે એક નવો વિવાદ ઉભો કર્યો છે. શાંતનુએ અગ્નિહોત્રી પર તેમના દાદાની ઓળખને વિકૃત કરવાનો અને ફિલ્મમાં તેમનું ખોટું ચિત્રણ કરવાનો આરોપ લગાવ્યો છે.

ગોપાલ મુખર્જી, જે `ગોપાલ પાઠા` તરીકે જાણીતા છે, એક પ્રખ્યાત બંગાળી સેનાની હતા જેમણે 1946 ના રમખાણોને નિયંત્રિત કરવામાં અને હિન્દુઓને અત્યાચારોથી બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, શાંતનુનો આરોપ છે કે ફિલ્મ તેમને ખોટી રીતે રજૂ કરે છે, જેનાથી પરિવાર અને સમુદાય બન્નેને નુકસાન થયું છે. એક અહેવાલ મુજબ, શાંતનુએ અગ્નિહોત્રીને કાનૂની નોટિસ પણ ફટકારી હતી, જેમાં તેમના દાદાના જીવનની ખોટી રજૂઆત માટે જાહેર માફી માગવાની માગ કરવામાં આવી હતી. ફિલ્મના ટ્રેલરમાં તેમના પાત્રને ‘એક થા કસાઈ ગોપાલ પાઠા’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જેનો શાંતનુએ સખત વિરોધ કર્યો છે.

શાંતનુએ દલીલ કરી હતી કે તેમના દાદા કસાઈ નહોતા, જેમ કે ફિલ્મમાં સૂચવવામાં આવ્યું છે, પરંતુ એક કુસ્તીબાજ અને અનુશીલન સમિતિના મહત્ત્વપૂર્ણ સભ્ય હતા, જેમણે 1946 માં મુસ્લિમ લીગ રમખાણોનો પ્રતિકાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું, "મારા દાદાને કસાઈ કહેવામાં આવ્યા અને પઠા એટલે (બકરી) પણ કહેવામાં આવ્યા છે, જે અપમાનજનક છે. મને લાગે છે કે વિવેક અગ્નિહોત્રીએ આ અંગે વધુ સંશોધન કરવું જોઈએ. તેમને આ ખોટી માહિતી ક્યાંથી મળી? તેમણે અમારો સંપર્ક પણ કર્યો નથી. તેથી જ અમે આનો વિરોધ કરી રહ્યા છીએ અને આમ કરતા રહીશું. વિરોધમાં, અમે વિવેક અગ્નિહોત્રીને કાનૂની નોટિસ મોકલી છે અને FIR પણ દાખલ કરી છે."

તેમણે વધુમાં ઉમેર્યું, "તેઓ સ્વતંત્રતા ચળવળનો ભાગ હતા. તેમની વિચારધારા નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે મેળ ખાતી હતી. તેમણે અનેક પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે કામ કર્યું. કોઈ કેવી રીતે કહી શકે કે તેઓ કસાઈ કે પઠા છે?" આ વિવાદે ‘ધ બેંગાલ ફાઇલ્સ’ માટે વધતી મુશ્કેલીમાં ઉમેરો કર્યો છે. ફિલ્મ સામે પહેલાથી જ પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદ અને અનેક એફઆઇઆર કરવામાં આવી છે.

ફિલ્મ વિશે

‘ધ બેંગાલ ફાઇલ્સ’ અગ્નિહોત્રી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે અને અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને અગ્નિહોત્રી દ્વારા નિર્મિત છે. તેમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અનુપમ ખેર, સિમરત કૌર અને દર્શન કુમાર જોવા મળશે. આ ફિલ્મ વિવેકની ફાઇલ્સ ટ્રાયોલોજીનો એક ભાગ છે જેમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’નો સમાવેશ થાય છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025 ના રોજ મોટા પડદા પર રિલીઝ થવાની છે.

the bengal files vivek agnihotri pallavi joshi jihad bollywood buzz bollywood news bollywood gossips bollywood