પૅડમૅનની રિલીઝનાં 2 વર્ષ થતાં અક્ષયને પ્રેરણાસ્રોત ગણાવ્યો સોનમ કપૂરે

10 February, 2020 03:40 PM IST  |  Mumbai Desk

પૅડમૅનની રિલીઝનાં 2 વર્ષ થતાં અક્ષયને પ્રેરણાસ્રોત ગણાવ્યો સોનમ કપૂરે

‘પૅડમૅન’ની રિલીઝને બે વર્ષ થતાં સોનમ કપૂરે અક્ષયકુમારને અને રાધિકા આપ્ટેને પ્રેરણાસ્રોત ગણાવ્યાં છે. આ ફિલ્મ અરુણાચલમ મુરુગનન્થમના જીવન પર આધારિત હતી. તેમણે મહિલાઓને સસ્તા દરે પૅડ બનાવી આપ્યાં હતાં. આર. બાલ્કિએ આ ફિલ્મને ડિરેક્ટ અને ટ્‌વિન્કલ ખન્નાએ એને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મનાં કેટલાંક દૃશ્યોનો કોલાજ બનાવીને એને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમ કપૂરે કૅપ્શન આપી, ‘સામાજિક મુદ્દાઓને લઈને ફિલ્મ બનાવવી હંમેશાં પડકાર રહ્યો છે. ‘પૅડમૅન’ની રિલીઝને બે વર્ષ પૂરાં થતાં ખૂબ ખુશી થઈ રહી છે. ફિલ્મમાં પરીનું પાત્ર ભજવવાનો અનુભવ યાદગાર રહ્યો છે. બાલ્કિસર તમારા જેવા લીડરની સાથે કામ કરવું એ ગર્વની વાત છે. અક્ષયકુમાર અને રાધિકા આપ્ટે તમે મારા માટે પ્રેરણાસ્રોત રહેવાનાં છો. સાથે જ નિઃસ્વાર્થભાવે આપણા દેશની મહિલાઓની સલામતી માટે કામ કરતા અરુણાચલમ મુરુગનન્થમનો પણ હું આભાર માનું છું. તેમની આ કામગીરી પ્રશંસનીય છે. સાથે જ મને સન્માનની લાગણી થાય છે કે તમે પોતાની સ્ટોરી કહેવા માટે અમારા પર ભરોસો રાખ્યો.’

sonam kapoor akshay kumar padman bollywood bollywood news