03 May, 2021 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શેફાલી જરીવાલા તસવીર સૌજન્ય મિડ-ડે
`કાંટા લગા ગર્લ` અને રિયાલિટી શૉ બિગબૉસની જાણીતી કોન્ટેસ્ટન્ટ શેફાલી જરીવાલા પોતાની બૉલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાના ડિવૉર્સને લઈને વાત કરી, શેફાલીએ કંપોઝર હરમીત સિંગ સાથે લગ્ન કર્યા હતા પણ સંબંધ વધારે ટક્યો નહીં અને બન્નેએ પોતાના રસ્તા અલગ કરી લીધા. પોતાના લગ્ન તૂટવાની વાત કરતા શેફાલીએ જણાવ્યું કે કેવી રીતે હિંસા હંમેશાં ફિઝિકલ નથી હોતી.
દરેક હિંસા ફિઝિકલ નથી હોતી
શેફાલી જરીવાલા અને પરાગ ત્યાગી સોશિયલ મીડિયા દ્વારા ઘણીવાર એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા દેખાય છે. તો તાજેતરમાં જ શેફાલીએ ટાઇમ્સ નાઉ સાથે વાતચીત દરમિયાન પોતાના પહેલા લગ્નને લઈને ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે, "આ સમજવું ખૂબ જ જરૂરી છે કે તમારું મૂલ્ય સમજવામાં નથી આવી રહ્યું. દરેક હિંસા ફિઝિકલ ન હોય. કેટલીક વાર માનસિક હિંસા પણ હોય છે અને તમે તમારા જીવનમાં ખૂબ જ દુઃખી થઈ જાઓ છો."
આ કારણે લીધું આ પગલું
શેફાલીએ આગળ જણાવ્યું કે તે ડિવૉર્સ લેવાનો નિર્ણય લઈ શકી કારણકે તે આત્મનિર્ભર હતી. તેમણે કહ્યું, "મને લાગે છે કે હું મારી માટે આ નિર્ણય લઈ શકી કારણકે હું આત્મનિર્ભર હતી. હું પોતે કમાઇ રહી હતી. આ દેશમાં સૌથી મોટો ડર સમાજનો છે. ડિવૉર્સને એક ટેબૂ માનવામાં આવે છે પણ જે રીતે મારો ઉછેર થયો છે, તેને કારણે હું સમાજની ચિંતા નથી કરતી અને તે કરું છું જે મને યોગ્ય લાગે છે. હું જીવનમાં આવું પગલું એટલા માટે ઉછાવી શકી કારણકે મારી પાસે મજબૂત સપૉર્ટ હતો."
લગ્નના 5 વર્ષ પછી...
જણાવવાનું કે શેફાલીએ વર્ષ 2005માં કંપોઝર હરમીત સિંહ સાથે પહેલા લગ્ન કર્યા હતા. ત્યાર બાદ વર્ષ 2009માં બન્નેએ છૂટાછેડા લીધા. તેના પછી શેફાલીએ જાણીતા ટીવી અભિનેતા પરાગ ત્યાગી સાથે 2014માં લગ્ન કર્યા હતા. બન્ને એક હેપ્પી રિલેશનશિપમાં છે. જે ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી જાય છે. પરાગ અને શેફાલી એક-બીજા સાથે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણીવાર ફોટોશૂટ કરતા દેખાય છે.