19 January, 2021 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાકેશ ઓમપ્રકાશ મેહરા, શાહિદ કપૂર
રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ જે મહાભારતના પાત્ર કર્ણ પરથી બનાવવામાં આવી રહી છે. એ પાત્ર શાહિદ કપૂર ભજવે એવી શક્યતા છે. ફિલ્મની સ્ટોરી કર્ણના દૃષ્ટિકોણથી દેખાડવામાં આવશે. આ ફિલ્મને મૉડર્ન લુક આપશે કે નહીં એના વિશે ચોક્કસ માહિતી નથી મળી. એવું કહેવામાં આવે છે કે આ મેગા બજેટ ફિલ્મ સૌથી શાનદાર ફિલ્મ બનવાની છે. શાહિદ કપૂરે તાજેતરમાં જ ‘જર્સી’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ દિવાળી દરમ્યાન રિલીઝ કરવામાં આવશે.