22 June, 2022 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘રૉકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ’માં કામ કરવાની ફી નથી લીધી શાહરુખ અને સૂર્યાએ
આર. માધવને જણાવ્યું છે કે ‘રૉકેટ્રી: ધ નામ્બી ઇફેક્ટ’માં કામ કરવા માટે શાહરુખ ખાન અને સૂર્યાએ ફી નથી લીધી. તેઓ પોતાનો રહેવાનો, કૉસ્ચ્યુમ્સ અને અસિસ્ટન્ટ્સનો પણ ખર્ચ ઉઠાવતા હતા. આ ફિલ્મ ઇસરો (ISRO) એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના સાયન્ટિસ્ટ ડૉ. નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે. આ ફિલ્મ ૧ જુલાઈએ હિન્દી, મલયાલમ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ થવાની છે. શાહરુખ ખાન અને સૂર્યાની પ્રશંસા કરતાં આર. માધવને કહ્યું કે ‘સૂર્યા હોય કે પછી શાહરુખ ખાન સાહબ હોય, તેમણે આ ફિલ્મ માટે કોઈ ફી નથી લીધી. તેમણે તો રહેવાનો, કપડાંનો અને અસિસ્ટન્ટ્સનો પણ ચાર્જ નથી કર્યો. સૂર્યા ફ્લાઇટમાં તેના ક્રૂ સાથે પોતાના ખર્ચે પ્રવાસ કરતો હતો. તેણે તો ફ્લાઇટ્સનો અને તામિલમાં તેના ડાયલૉગ્સ ટ્રાન્સલેટ કરતા રાઇટરનો ખર્ચ પણ પોતે જ ઉઠાવ્યો હતો.’
અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપડા જોનસે તેમની ફિલ્મનું પ્રમોશન ટ્વિટર પર કર્યું હતું. એ માટે તેમનો આભાર માનતાં આર. માધવને કહ્યું કે ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સારા લોકો છે. હું આ ઇન્ડસ્ટ્રીનો ન હોવા છતાં
પણ લોકોએ મારી મદદ કરી હતી. મેં વિનંતી કરતાં અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપડા જોનસે મારી ફિલ્મને ટ્વીટ પર સપોર્ટ કર્યો હતો. તેમણે આપેલા આદર અને પ્રેમ માટે હું તેમનો આભારી છું.’