આદિત્ય ઠાકરેને મળી હોવાની વાતને નકારી રિયાએ

19 August, 2020 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય ઠાકરેને મળી હોવાની વાતને નકારી રિયાએ

રિયા ચક્રવર્તી, આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરેને મળી હોવાની વાતને રિયા ચક્રવર્તીએ ફગાવી દીધી છે. રિયાએ તેના વકીલ સતીશ દ્વારા આ વાત કહી હતી. સોમવારે તેણે સ્ટેટમેન્ટ ઇશ્યુ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘2020ની 11 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટ સામે કરેલી હિયરિંગને જોઈને લાગે છે કે આમાં સત્ય કરતાં વધુ પૉલિટિક્સ છે. જરૂરી ન હોય એવી વાતો કરવામાં આવી રહી છે. બિહારનું ઇલેક્શન હોવાથી આ કેસ દ્વારા લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. રિયા આજ સુધી કોઈ દિવસ આદિત્યને મળી નથી અને તેમને ઓળખતી પણ નથી. તેને ખબર છે કે તે શિવસેનાનો લીડર છે, પરંતુ તેણે આજ સુધી ક્યારેય તેમની સાથે ટેલિફોન પર પણ વાત નથી કરી.’

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty aaditya thackeray