PM Modiનો પત્ર મળતાં ખુશીથી ઝૂમ્યા અનુપમ ખેર, જાણો શું છે લેટરમાં...

27 February, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PM Modiનો પત્ર મળતાં ખુશીથી ઝૂમ્યા અનુપમ ખેર, જાણો શું છે લેટરમાં...

PM Modiનો પત્ર મળતાં ખુશીથી ઝૂમ્યા અનુપમ ખેર, જાણો શું છે લેટરમાં...

બૉલીવુડ અભિનેતા અનુપમ ખેરે શુક્રવારે કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર પ્રાપ્ત કરીને સન્માનિત તેમજ વિનમ્રતા અનુભવી રહ્યા છે, જે તેમને તેમના નવા પુસ્તક 'યોર બેસ્ટ ડે ઇઝ ટુડે'ને કારણે મળ્યો છે. અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, "માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો મારા પુસ્તક 'યોર બેસ્ટ ડે ઇઝ ટુડે' વિશે સુંદર ઉદાર અને હુંફાળા પત્ર માટે આભાર. આ હકીકતે મારી માટે હ્રદયસ્પર્શી અનુભવ રહ્યો."

અનુપમ ખેર આગળ લખે છે કે, "હું સન્માનિત અનુભવું છું અને વિનમ્ર અનુભવું છું કે તમે ખરેખર મારા પુસ્તક માટે સમય કાઢ્યો. અમારા પીએમ તરીકે તમારી સાથે મને વિશ્વાસ છે કે ભારત ખૂબ જ જલ્દી વિશ્વનો જગતગુરુ હશે. આશા રાખું છું કે તમે વર્ષો સુધી અમારું નેતૃત્વ કરતા રહો. મારી મા, તમારી સૌથી મોટી પ્રશંસક તમને આશીર્વાદ પાઠવે છે. આભાર તમારો ફરી એકવાર સર. તમારો પત્ર મારી માટે ખજાનો છે."

અભિનેતાએ વડાપ્રધાન દ્વારા હસ્તાક્ષરિત પત્ર પણ શૅર કર્યો છે. અનુપમ ખેરનું પુસ્તક વાંચ્યાં પછી આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે, "અનુપમ ખેર જી, મને તમારું પુસ્તક 'યોર બેસ્ટ ડે ઇઝ ટુડે' મળતા આનંદ થયો. આ એક સામયિક પુસ્તક છે જે ગયા વર્ષના ઘટનાક્રમોને જોતા લખવામાં આવ્યું છે."

તેમણે લખ્યું, "કોવિડ-19 મહામારી દરમિયાન તમારા વિચારો અને અનુભવોને આ સંકલન માટે વધામણી. હું તમારા પુસ્તકની સફળતાની કામના કરું છું અને આશા રાખું છું કે પાઠકોને આ પુસ્તક વાંચવામાં આનંદ આવશે."

તેમણે કહ્યું, "તમારી માતા શ્રીમતી દુલારી જીને મારા નમસ્કાર અને સન્માન આપજો." તેમણે પત્રમાં કહ્યું, "ખેર પરિવારના બધાં સભ્યોના સારા સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે શુભેચ્છાઓ."

bollywood bollywood news bollywood ssips narendra modi anupam kher