કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

05 January, 2021 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘કાગઝ’ના લુક પર ખૂબ જ મહેનત કરવામાં આવી છે. આ ફિલ્મને રિયલ લાઇફ સ્ટોરી પરથી બનાવવામાં આવી છે. સાત જાન્યુઆરીએ આ ફિલ્મ Zee5 પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સલમાન ખાન અને સતીશ કૌશિક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તેમ જ ડિરેક્ટ પણ સતીશ કૌશિકે જ કરી છે. આ ફિલ્મમાં એક માણસ પોતે મૃત નહીં, પરંતુ જીવિત છે એ સાબિત કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરતો જોવા મળે છે. આ ફિલ્મમાં તેની અઢાર વર્ષની લાઇફને દેખાડવામાં આવશે. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મારો લુક ખૂબ જ સ્મૂધલી બદલાતો જાય છે. તમે જ્યાં સુધી પહેલા દૃશ્ય અને છેલ્લા દૃશ્યના લુકને સરખાવો નહીં ત્યાં સુધી તમને એ વિશે જાણ પણ નહીં થાય.’

entertainment news bollywood bollywood news pankaj tripathi