રામલિંગ રાજુના જીવનને સિરીઝમાં ઉતારશે નાગેશ કુકુનૂર

12 February, 2021 12:16 PM IST  |  Mumbai | Agencies

રામલિંગ રાજુના જીવનને સિરીઝમાં ઉતારશે નાગેશ કુકુનૂર

રામલિંગ રાજુના જીવનને સિરીઝમાં ઉતારશે નાગેશ કુકુનૂર

સત્યમ કમ્પ્યુટર સર્વિસના સંસ્થાપક બી. રામલિંગ રાજુના જીવન પર ફિલ્મમેકર નાગેશ કુકુનૂર સિરીઝ લઈને આવી રહ્યો છે. આ સિરીઝ ‘ધ ડબલ લાઇફ ઑફ રામલિંગ રાજુ’ બુક પરથી બનાવવામાં આવશે. ૨૦૧૫માં રામલિંગ રાજુ પર ફ્રૉડનો આરોપ લાગ્યો હતો. તેના જીવનમાં આવેલા ઉતાર-ચડાવને એમાં દેખાડવામાં આવશે. સ્ટોરી પર હજી કામ ચાલી રહ્યું છે અને એ પૂરી થયા બાદ એનું શૂટિંગ જલદી શરૂ કરવામાં આવશે. એ વિશે નાગેશે કહ્યું હતું કે ‘બુક ‘ધ ડબલ લાઇફ ઑફ રામલિંગ રાજુ’ વાંચવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને હું ખુશ છું કે હું આ વિઝનરી પ્રોજેક્ટનો ભાગ બન્યો છું. ઑડિયો-વિઝ્યુઅલ મીડિયમ સ્ટોરીનાં અન્ય પરિબળો અને લેયર્સને ખૂબ જ સચોટતાથી અને લોકોને જકડી રાખે એ રીતે દેખાડવામાં સક્ષમ હોય છે.’
આ સિરીઝને પ્રોડ્યુસ કરનાર અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટના સીઈઓ સમીર નાયરે કહ્યું હતું કે ‘દર્શકો બાયોપિક્સ તરફ વધુ આકર્ષાય છે. લોકોની લાઇફ અને તેમની લાઇફના અનુભવો હંમેશાંથી લોકોને કુતૂહલ જગાવે છે. કેટલાય લોકોએ આ સ્ટોરી ન્યુઝના માધ્યમથી જોઈ હતી. એથી અંદરની જે ખરી સ્ટોરી છે એ દર્શકો માટે એક્સાઇટિંગ રહેવાની છે.’

bollywood bollywood news bollywood ssips nagesh kukunoor