15 March, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મનોજ બાજપેયી, સમીર ખખ્ખર અને હંસલ મહેતા
`નુક્કડ` ફેમ ગુજરાતી અભિનેતા સમીર ખખ્ખર(Sameer Khakhar Demise)નું આજે નિધન થયું છે. તેમણે ગુજરાતી કલાજગતમાં અને બૉલિવૂડમાં નોંધનીય કામ કર્યુ છે. બૉલિવૂડ માટે એક ફોટો ઝટકો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સતીશ કૌશિકના નિધનના શોકમાંથી બહાર આવી જ હતી કે અન્ય એક પીઢ અભિનેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને કોમેડિયન સમીર ખખ્ખરના નિધન પર કલાકારો શોક વ્યક્ત કરી રહ્યાં છે. અભિનેતાએ તેની કારકિર્દીમાં ઘણા મોટા અને યાદગાર પાત્રો દ્વારા દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું. સમીર ખખ્ખરના નિધનના પર ઈન્ડસ્ટ્રીના લોકોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે.
મનોજ બાજપેયીએ આપી શ્રદ્ધાંજલિ
બૉલિવૂડ એક્ટર મનોજ બાજપેયીને સમીર ખખ્ખરના નિધનથી આઘાત લાગ્યો છે. તેમણે અભિનેતા સમીરને તેમના મૃત્યુ બાદ શ્રદ્ધાંજલિ આપી છે. ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા મનોજે લખ્યું, `તેમની આત્માને શાંતિ મળે... ઓમ શાંતિ.`
મુકેશ છાબરાએ પણ શોક વ્યક્ત કર્યો<
/strong>
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ટ્વિટર પર પોસ્ટ તસવીર શરે કરી અભિનેકા સમીર ખખ્ખરને શ્રદ્ધાંજલિ અર્પી છે.
હંસલ મહેતાને જૂના દિવસો યાદ આવ્યા
ફિલ્મ નિર્દેશક, લેખક અને નિર્માતા હંસલ મહેતાએ સમીર ખખ્ખરને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાની તસ્વીર શેર કરતા તેમણે ટ્વિટર પર લખ્યું, `કોઈક કારણોસર મને કોલેજમાં નુક્કડમાં તેના પ્રતિષ્ઠિત પાત્રના કારણે `ખોપડી` ઉપનામ આપવામાં આવ્યું હતું. તે સમયના મારા નજીકના મિત્રો આજે પણ મને `ખોપડી` કહે છે, પરંતુ મને લાગે છે કે આ દંતકથાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ગુડબાય સમીર ખખ્ખર. યાદો માટે આભાર.`