‘થલાઈવી’ માટે ૬ કરોડની રીફન્ડની વાતને ફગાવી કંગનાએ

24 March, 2023 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવુ છે કે મુવી માફિયાએ આ બધુ ફેલાવ્યુ છે

કંગના

કંગના રનોટે એ અફવાને ફગાવી દીધી છે કે ‘થલાઈવી’ માટે ઝી સ્ટુડિયોઝે ૬ કરોડનું રીફન્ડ માંગ્યુ છે. તેનું કહેવુ છે કે મુવી માફિયાએ આ બધુ ફેલાવ્યુ છે. ‘થલાઈવી’માં કંગનાએ તામિલનાડુની ભુતપૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. તાજેતરમાં જ એવા સમાચાર વહેતા થયા હતા કે ઝી સ્ટુડિયોઝે ૬ કરોડનાં રીફન્ડ માટે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશનને દરમ્યાનગીરી કરવાની વિનંતી કરી હતી. ન્યુઝને ખોટા જણાવતા ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યુ કે ‘આ ખોટા ન્યુઝ ફિલ્મ માફિયા દ્વારા ચલાવવામાં આવ્યુ છે. મેં તો મારી આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ને પણ ઝી સ્ટુડિયોઝને વેચી છે. ‘થલાઈવી’ રિલીઝ થઈ એ અગાઉ તેણે પૈસા રીકવર કરી લીધા હતા. ફિલ્મની રિલીઝને પણ બે વર્ષ થઈ ગયા છે. મારા વિશે સતત ખોટા સમાચાર વહેતા થયા છે. લોકોને મારી ઇર્ષા થઈ રહી છે. મહેરબાની કરીને એના પર ધ્યાન ના આપતા.’

bollywood bollywood news kangana ranaut