રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર બનેલી ફિલ્મ દરબાનમાં શું છે?

10 November, 2020 06:54 PM IST  |  Mumbai | Nirali Dave

રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર બનેલી ફિલ્મ દરબાનમાં શું છે?

ઝીફાઇવની આગામી ફિલ્મ ‘દરબાન’ રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર આધારિત છે. આ ફૅમિલી ડ્રામા ફિલ્મને બિપિન નાડકર્ણીએ પ્રોડ્યુસ તેમ જ ડિરેક્ટ કરી છે. બિપિન નાડકર્ણીએ આ પહેલાં ‘ઉત્તરાયણ’ નામની મરાઠી ફિલ્મ બનાવી છે જેમાં નીના કુલકર્ણી, વિજુ ખોટે અને શિવાજી સાટમ સહિતના કલાકારો હતા. ‘દરબાન’ની વાત કરીએ તો આ એક સંવેદનશીલ ફિલ્મ છે જેમાં પૈસાદાર ખાણ-માલિકના અનુકૂલ નામના દીકરા અને તેના કૅરટેકર રાયચરણની નિર્દોષ મૈત્રી બતાવવામાં આવી છે. તેમની દોસ્તીને કોઈ સામાજિક કે આર્થિક અંતર નડતું નથી અને ફિલ્મમાં એ જ વાત એક્સપ્લોર કરવામાં આવી છે. અનુકૂલનાં લગ્ન થયા બાદ રાયચરણ અનુકૂલના દીકરાનું ધ્યાન પણ રાખે છે. જોકે સમય જતાં એક ઘટનાને લીધે તેમની મૈત્રીમાં તિરાડ પડી જાય છે.

entertainment news bollywood bollywood news zee5