03 December, 2020 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવ્યા ખોસલા કુમાર
દિવ્યા ખોસલા કુમારનું કહેવું છે કે ‘સત્યમેવ જયતે 2’નો તેનો કો-ઍક્ટર જૉન એબ્રાહમ ખૂબ હેલ્પફુલ છે. ‘સત્યમેવ જયતે 2’ને મિલાપ ઝવેરી ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં દિવ્યા, જૉન એબ્રાહમ સિવાય અમાયરા દસ્તુર અને નોરા ફતેહી પણ જોવા મળશે. ફિલ્મને 2021ની 12 મેએ રિલીઝ કરવામાં આવશે. જૉન એબ્રાહમની પ્રશંસા કરતાં દિવ્યાએ કહ્યું હતું કે ‘મને જૉન એબ્રાહમ સાથે ‘સત્યમેવ જયતે 2’માં કામ કરવાની ખુશી છે. તેઓ ખૂબ જ સારા કો-સ્ટાર છે. તેની સાથે મારા સંબંધો પણ ખુશમિજાજ અને સુંદર છે. તે ખૂબ જ હેલ્પફુલ છે. મને લાગે છે કે ફિલ્મમાં અમારી કેમિસ્ટ્રી ખૂબ જ સરસ દેખાવાની છે.’