16 July, 2019 03:38 PM IST | મુંબઈ
વિરાટ-અનુષ્કા
ફિલ્મ અભિનેત્રી Anushka Sharmaએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે એણે ઓછી ઉંમરમાં જ વિરાટ કોહલી સાથે લગ્ન કેમ કરી લીધા. અનુષ્કા શર્માએ જ્યારે વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા, ત્યારે બન્ને કરિયર તરફ વધારે ધ્યાન આપી રહ્યા હતા. હવે બન્નેના લગ્નને દોઢ વર્ષ થઈ ગયા છે.
અનુષ્કા શર્માએ જ્યારે વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા, ત્યારે અનુષ્કા શર્માની ઉંમર ફક્ત 29 વર્ષની હતી. એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલી સાથે આટલી ઓછી ઉંમરમાં લગ્ન કરવાના વિષયમાં જણાવતા અનુષ્કા શર્માએ કહ્યું કે એમને વિરાટ કોહલી સાથે પ્રેમ થઈ ગયો હતો. એના ચાલતા આ સંબંધને આગળ વધારવા ઈચ્છતી હતી અને તેણે એક અભિનેત્રી તરીકે ઓછી ઉંમરે જ લગ્ન કરી લીધા.
મહત્વનું છે કે હંમેશા અભિનેત્રીઓ 32 વર્ષની આસપાસ લગ્ન કરે છે. અનુષ્કા શર્માએ આ અવસર પર એ પણ કહ્યું કે આજના દર્શકો ઘણા વધારે સમજદાર થઈ ગયા છે અને એમને આ વાતથી કોઈ ફરક નથી પડતો કે અભિનેત્રી પરિણીત છે કે અપરિણીત. દર્શકોને માત્ર સારા કન્ટેન્ટ જોઈએ છે. અનુષ્કા શર્માએ આગળ પણ કહ્યું કે હવે દર્શકોને આ વાતથી કોઈપણ ફરક નથી પડતો કે અભિનેત્રી માતા બની ગઈ છે કે નહીં.
આ પણ વાંચો : Hetal Gada:નાની ઉંમરે જ ટેલેન્ટના પારખાં કરાવી રહી છે આ ગુજરાતી છોકરી
અનુષ્કા શર્માએ આગળ પણ કહ્યું કે વિરાટ સાથે મારો સંબંધ ઈમાનદારીનો છે અને બન્ને આ વાતનુ સમ્માન કરે છે. એ સિવાય વિરાટ કોહલી પાસે એવી કોઈ વસ્તુ નથી જે એમને જૂઠી લાગે.