05 October, 2025 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૈચાન કૌન?
૧૯૯૦માં રિલીઝ થયેલી ‘આશિકી’થી ઍક્ટ્રેસ અનુ અગરવાલ રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી. જોકે પછી એક અકસ્માતે અનુનું જીવન બદલી નાખ્યું અને તે બૉલીવુડમાંથી ગાયબ થઈ ગઈ હતી. અનુ હાલમાં કાજોલ અને રાની મુખરજીના દુર્ગાપૂજા પંડાલમાં જોવા મળી હતી અને તેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં અત્યારની અનુને જોઈને મોટા ભાગના લોકો તેને ઓળખી શક્યા નહોતા, કારણ કે ‘આશિકી ગર્લ’ સાવ અલગ જ લાગતી હતી.