03 December, 2019 09:10 PM IST | Mumbai Desk
હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખે ફિલ્મોનો એક મોટો વારસો આપ્યો છે. કેટલીય ખૂબ જ સફળ ફિલ્મોની હીરોઇન રહી ચૂકેલ આશાએ આજીવન એકલા રહેવાનો નિર્ણય કર્યો હતો અને તેની પાછળ એક ઇમોશનલ કારણ છે, જેનો ખુલાસો તેમણે પહેલા પોતાની બાયોગ્રાફી અને પછી વર્વ મેગઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યો છે.
આશાએ પોતાના સિંગલ સ્ટેટસ વિશે સવાલ કરવા પર કહ્યું કે આ તેના જીવનનો સૌથી સારો નિર્ણય હતો. આશાએ જણાવ્યું કે તે જે વ્યક્તિને પ્રેમ કરતાં હતા તે પહેલાથી જ પરિણિત હતા. એવામાં તેઓ તેની સાથે લગ્ન કરીને ઘર તોડનારી સ્ત્રી તરીકે નહોતી ઓળખાવા માંગતી એટલે તેમણે આજીવન એકલા રહેવાનો વિકલ્પ પસંદ કર્યો. આશા પારેખે પોતાના જીવનની આ મહત્વની અને ઇમોશનલ કિસ્સાઓનો ઉલ્લેખ પોતાની બાયોગ્રાફી હિટ ગર્લમાં પણ કર્યું છે, જે 2017માં રિલીઝ થઈ હતી. આમાં આશાએ જણાવ્યું કે તે ફિલ્મમેકર નાસિર હુસેનને પ્રેમ કરતી હતી, પણ તે પરિણિત હતા, જેને કારણે આશાએ તેનાથી અંતર સાધી લીધું.
આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો
આશા, વહીદા રહેમાન અને હેલનની સારી ફ્રેન્ડ છે અને ઘણીવાર ત્રણેયને સાથે ફરતાં જોવામાં આવ્યા છે. આશા પારેખ 1959થી 1973 વચ્ચે હિન્દી ફિલ્મોની ટૉપ અબિનેત્રીઓમાં મોખરે રહી હતી. ફિલ્મો સિવાય આશા પારેખ ફિલ્મો સાથે જોડાયેલા કેટલાય મહત્વપૂર્ણ પદો પર પણ રહી.