દેહવેપારમાંથી સ્ત્રીઓને મુક્તિ અપાવતી સુનીતાની પ્રશંસા કરી અનુષ્કાએ

20 October, 2019 01:37 PM IST  |  મુંબઈ

દેહવેપારમાંથી સ્ત્રીઓને મુક્તિ અપાવતી સુનીતાની પ્રશંસા કરી અનુષ્કાએ

અનુષ્કા શર્મા

સમાજ સેવિકા સુનીતા ક્રિશ્નન મહિલાઓ અને યુવતીઓને દેહ વેપારનાં દલદલમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. આ વાત અનુષ્કા શર્માના જાણમાં આવતા તેમના કાર્યોની પ્રશંસા કરી છે. સુનીતા ક્રિશ્નન ‘કૌન બનેગા કરોડપતિ’ના કર્મવીરનાં સ્પેશ્યલ એપિસોડમાં હૉટ સીટ પર પહોંચ્યા હતાં. આ એપિસોડ દરમ્યાન પોતાની આપવિતી સુનીતાએ જણાવતા કહ્યું હતું કે તે જ્યારે ટીનએજમાં પહોંચી તો ૮ પુરુષોએ તેનાં પર બળાત્કાર ગુજાર્યો હતો. એથી તેણે મહિલાઓ અને યુવતીઓને આવા દલદલમાંથી મુક્તિ અપાવવાનું બીડુ ઉઠાવ્યું છે.

આટલુ જ નહીં તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ વ્યવસાયમાંથી તેમણે સાડાત્રણ વર્ષની નાની બાળકીનો પણ આબાદ બચાવ કર્યો હતો. આ સાંભળીને તો અમિતાભ બચ્ચન પણ ચોંકી ઉઠ્યા હતાં. પોતાના કાર્યની માહિતી આપતા સુનીતાએ કહ્યું હતું કે ‘અમે ‘પ્રજ્જવલા’ નામની મહિલાઓની એક કમ્યુનિટી બનાવી છે, જેની મદદથી અમે વિક્ટિમ્સને આ દલદલમાંથી બહાર કાઢવા તમામ મદદ કરીએ છીએ.  હું ‘કૌન બનેગા કરોડપતિ’ અને અમિતાભ બચ્ચનની આભારી છું કે તેમણે અમને એક એવુ મંચ આપ્યુ કે જ્યાં અમે નિર્ભયતાથી અમારી જર્નીને દૂનિયા સમક્ષ રાખી શકીએ છીએ.’

આ પણ વાંચો : રાધેની રિલીઝથી ઉત્સાહીત વરુણ ધવન

સુનીતા ક્રિશ્નનનાં નિસ્વાર્થ કામને અને તેમની જર્ની સાંભળ્યા બાદ અનુષ્કા શર્માએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. ટ્‍‍વિટર પર અનુષ્કાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ ઘટના અને કડવી વાસ્તવિકતા પર સમાજ સેવિકા સુનીતા ક્રિશ્નને ‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડમાં પ્રકાશ પાડ્યો એ ખરેખર ખૂબ જ શૉકિંગ અને પિડાદાયક હતું. તેમણે મહિલાઓ અને યુવતીઓને એમાં પણ ૩ વર્ષની નાની બાળકીને દેહ વેપારનાં દૂષણમાંથી બચાવીને ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. આ વિશ્વમાં તેમનાં જેવા લોકો આજે પણ અસ્તિત્વ ધરાવે છે એથી અમે તેમનાં આભારી છીએ. ‘કૌન બનેગા કરોડપતિ’ને પણ સલામ છે કે તેઓ આવા અદ્ભુત લોકોની સ્ટોરી પર પોતાનાં શોમાં પ્રકાશ પાડે છે.’

anushka sharma bollywood news