મુંબઈ કાપડ વેપારી મહાજનના પ્રમુખ તરીકે સુરેન્દ્ર તુલસીદાસ સવાઈ બિનહરીફ ચૂંટાયા

20 October, 2012 06:45 AM IST  | 

મુંબઈ કાપડ વેપારી મહાજનના પ્રમુખ તરીકે સુરેન્દ્ર તુલસીદાસ સવાઈ બિનહરીફ ચૂંટાયા

તેઓ છેલ્લાં ૨૮ વર્ષથી પ્રમુખ છે. મહાજનના ઉપપ્રમુખ તરીકે હસમુખલાલ જે. બદાણી, માનદ્ મંત્રી તરીકે રાજેશ પટેલ અને ભરત કારિયા ચૂંટાઈ આવ્યા છે. ખજાનચી તરીકે દેવેન શાહ અને હિતેશ બી. બદાણીની વરણી થઈ છે.

ધ બૉમ્બે પીસ ગુડ્સ મહાજન ટ્રસ્ટના ત્રણ ટ્રસ્ટીઓ જે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેઓમાં ધીરજ એસ. કોઠારી, રાજેશ બી. પટેલ અને શિવશંકર બંસલનો સમાવેશ છે.