જીઓના ટૅરિફ-પ્લાન કોઈ આદેશનું ઉલ્લંઘન કરતા નથી : નિયમનકાર

03 February, 2017 05:55 AM IST  | 

જીઓના ટૅરિફ-પ્લાન કોઈ આદેશનું ઉલ્લંઘન કરતા નથી : નિયમનકાર


એણે કહ્યું છે કે જીઓના ટૅરિફ-પ્લાન વર્તમાન ધોરણો અને ટૅરિફને લગતા આદેશોનું પાલન કરનારા છે. જીઓને એની પ્રમોશનલ ઑફર ૯૦ દિવસ કરતાં વધારે સમય સુધી લંબાવવાની છૂટ આપવા બદલ સ્પર્ધક કંપનીઓએ રેગ્યુલેટરી ઑથોરિટી સામે ટેલિકૉમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ ઍન્ડ અપેલેટ ટ્રિબ્યુનલને ફરિયાદ કરી હતી. જીઓના ટૅરિફથી કોઈ ધોરણ કે આદેશનું ઉલ્લંઘન થતું નથી એવું ઍટર્ની જનરલે રેગ્યુલેટરી ઑથોરિટીને જણાવ્યા બાદ ઑથોરિટીએ ટૅરિફને યોગ્ય ગણાવ્યા છે. હવે આ નિર્ણયની જાણ ઍરટેલ, વોડાફોન જેવી સ્પર્ધક કંપનીઓને કરવામાં આવશે.