મંગળવારથી મારુતિ સુઝુકી ઇન્ડિયાના માનેસર પ્લાન્ટમાં ઉત્પાદન ફરી શરૂ થશે

17 August, 2012 08:35 AM IST  | 

મંગળવારથી મારુતિ સુઝુકી ઇન્ડિયાના માનેસર પ્લાન્ટમાં ઉત્પાદન ફરી શરૂ થશે

 

કંપનીના પ્લાન્ટમાં કામદારસમસ્યાને કારણે ૨૧ જુલાઈએ લૉકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીના પ્લાન્ટ માટે પોલીસ સંપૂર્ણ સિક્યૉરિટી પૂરી પાડશે. કંપનીએ ૫૦૦ રેગ્યુલર કર્મચારીઓને ટર્મિનેશન નોટિસ ઇશ્યુ કરી છે.આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદનક્ષમતા ૫.૫૦ લાખ વાહનોની છે. માનેસર પ્લાન્ટમાં સ્વિફ્ટ, Dzire, SX4 અને A-Starનું ઉત્પાદન થાય છે.