હોમ લોન અને ઑટો લોન સસ્તી નહીં થાય

01 November, 2012 05:39 AM IST  | 

હોમ લોન અને ઑટો લોન સસ્તી નહીં થાય



એચડીએફસી બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ કહ્યું હતું કે વ્યાજદરમાં અત્યારે કોઈ જ ઘટાડો થવાની અપેક્ષા નથી.

પંજાબ નૅશનલ બૅન્કના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર કે. આર. કામથે જણાવ્યું હતું કે ‘કૉર્પોરેટ ડેટ રીસ્ટ્રક્ચરિંગ માટે ૦.૭૫ ટકાથી વધારાની જોગવાઈની જાહેરાતને કારણે ધિરાણ પરના વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા નથી રહી.’ બૅન્કોએ રિઝર્વ બૅન્ક પાસે ડિપોઝિટ્સ તરીકે જે પૈસા મૂકવા પડે છે એને સીઆરઆર કહેવાય.