23 November, 2022 07:55 PM IST | Mumbai | Nisha Sanghvi
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકાર જીવન વીમો, અકસ્માત વીમો સહિતની અનેક સામાજિક સુરક્ષા યોજનાઓ ઑફર કરે છે. જો કોઈની પાસે બચત બૅન્ક ખાતું હોય તો એનો લાભ લઈ શકાય છે. તમારા બચત ખાતામાંથી સબસ્ક્રાઇબ કરીને એનો લાભ લઈ શકાય છે અને દર વર્ષે જૂનમાં એનું નવીનીકરણ કરી શકાય છે. આ યોજનાઓ છે...
ચાલો એમના વિશે થોડી જાણકારી લઈએ...
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના - વ્યક્તિગત અકસ્માત વીમો
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એ ભારત સરકાર સમર્થિત અકસ્માત વીમા યોજના છે. એનો મૂળ ઉલ્લેખ ફેબ્રુઆરી ૨૦૧૫માં તત્કાલીન નાણાપ્રધાન સ્વર્ગસ્થ અરુણ જેટલીએ કર્યો હતો. એની ખાસિયત આ પ્રમાણે છે...
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના - ટર્મ લાઇફ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ભારતમાં સરકાર સમર્થિત જીવન વીમા યોજના છે. મે ૨૦૧૫ સુધીમાં ભારતની માત્ર ૨૦ ટકા વસ્તી પાસે કોઈ પણ પ્રકારનો વીમો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ વીમાનું કવચ મોટી સંખ્યામાં નાગરિકોને મળે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. એની ખાસિયતો આ પ્રમાણે છે...
સવાલ તમારા...
પ્રશ્ન : મારી પાસે ત્રણ બૅન્કમાં સેવિંગ્સ બૅન્ક ખાતાં છે. શું હું આ ત્રણે પાસેથી ઉક્ત યોજનાઓ હેઠળ વીમા મેળવી શકું?
જવાબ : કોઈ પણ એક બૅન્ક ખાતામાંથી એક પૉલિસી જ લઈ શકાય છે.
પ્રશ્ન : શું વીમાનું પ્રીમિયમ દર વર્ષે બદલાય છે અને શું એ બધી બૅન્કોમાં સમાન છે?
ઉત્તર : સરકારના ધોરણ મુજબ પ્રીમિયમ બદલાય છે અને તમામ બૅન્કોમાં સમાન રહે છે.
પ્રશ્ન : શું કોઈ વ્યક્તિ વર્ષની મધ્યમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં સબસ્ક્રાઇબ કરી શકે છે?
ઉત્તર : હા, વર્ષની મધ્યમાં પણ સબસ્ક્રાઇબ કરી શકાય છે. એ સ્થિતિમાં પ્રીમિયમ નીચે મુજબ હોય છે...
પ્રશ્ન : પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કેવી રીતે કામ કરે છે?
ઉત્તર : આ યોજના હેઠળ મળતા લાભ આ પ્રમાણે છે...