રૂની નિકાસછૂટ ચાલુ રહેવાનો આધાર ભાવની વધ-ઘટ પર

08 October, 2011 05:20 PM IST  | 

રૂની નિકાસછૂટ ચાલુ રહેવાનો આધાર ભાવની વધ-ઘટ પર

 

માર્કેટિંગ વર્ષ ૨૦૧૧-’૧૨ (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં રૂની નિયંત્રણમુક્ત નિકાસ ચાલુ રહેવાનો આધાર સ્થાનિક ભાવ અને માગ પર રહેશે.

જોકે સમગ્ર વર્ષ દરમ્યાન આ છૂટ ચાલુ રહેશે કે કેમ એનો આધાર ભાવની સ્થિતિ અને સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીની સ્થાનિક જરૂરિયાત પર આધાર રાખે છે. અત્યારે ભાવ જરા ઊંચા છે અને ટ્રેડર્સ નવા પાકની આવકોની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં જે પ્રારંભિક આવકો થઈ છે એની ગુણવત્તા નબળી છે.

યુએસડીએના રિપોર્ટ મુજબ નવા વર્ષમાં નિકાસ વધીને ૮૦ લાખ ગાંસડી જેટલી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૬૬ લાખ ગાંસડી જેટલી થઈ હતી. રૂનું ઉત્પાદન ૩૩૦ લાખ ગાંસડીથી વધીને ૩૫૦ લાખ ગાંસડી જેટલું થશે.