બજાજ ઑટોનું મન્થ્લી સેલ ચાર લાખ વાહનો જેટલું જળવાઈ રહેશે

04 October, 2011 08:46 PM IST  | 

બજાજ ઑટોનું મન્થ્લી સેલ ચાર લાખ વાહનો જેટલું જળવાઈ રહેશે

 

ત્યાર પછીના સમયગાળામાંપણ મન્થ્લી વેચાણ ૪ લાખ વાહનોનું જળવાઈ રહેવાની અપેક્ષા છે. ફ્યુઅલ પ્રાઇસમાં વધારો થવાથી ટૂ-વ્હીલરના વેચાણને પ્રતિકૂળ અસર નહીં થાય. પ્રીમિયમ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રેશર આવવાની શક્યતા છે.’

બજાજ ઑટોનું વેચાણ સપ્ટેમ્બર ૨૦૧૧માં ૧૮ ટકા વધીને ૪,૧૭,૬૮૬ નંગ થયું છે, જે સપ્ટેમ્બર ૨૦૧૦માં ૩,૫૨,૭૬૯ નંગ થયું હતું. એક્સર્પોટ ૧,૦૧,૯૬૦ વાહનોથી ૩૯ ટકા વધીને ૧,૪૧,૯૧૩ વાહનોની થઈ છે. મોટરસાઇકલ્સનું વેચાણ ૩,૧૪,૫૧૫ નંગથી ૧૮ ટકા વધીને ૩,૭૧,૨૦૮ નંગ અને કમર્શિયલ વેહિકલ્સનું ૩૮,૨૫૪ નંગથી ૨૧ ટકા વધીને ૪૬,૪૭૮ નંગ થયું છે.