વાનખેડે સ્ટેડિયમમાં હવે દિવેચા પૅવિલિયન પાસે રોહિત શર્માના નામનું નવું સ્ટૅન્ડ હશે

17 April, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રૅન્ડ સ્ટૅન્ડના ત્રીજા-ચોથા લેવલને મળશે શરદ પવાર અને અજિત વાડેકરનું નામ. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ની ૮૬મી વાર્ષિક જનરલ મીટિંગમાં વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટૅન્ડનાં નામકરણ કરવામાં આવ્યાં છે.

રોહિત શર્મા

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ની ૮૬મી વાર્ષિક જનરલ મીટિંગમાં વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટૅન્ડનાં નામકરણ કરવામાં આવ્યાં છે. વાનખેડે સ્ટેડિયમમાં દિવેચા પૅવિલિયનના ત્રીજા લેવલ (ત્રીજો માળ)ને ભારતના વન-ડે અને ટેસ્ટ-કૅપ્ટન રોહિત શર્મા સ્ટૅન્ડ તરીકે ઓળખવામાં આવશે.

આ સિવાય ગ્રૅન્ડ સ્ટૅન્ડના ત્રીજા લેવલને ICCના ભૂતપૂર્વ ચૅરમૅન શરદ પવાર અને ચોથા લેવલને ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન દિવંગત અજિત વાડેકરનું નામ આપવામાં આવશે. MCA પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે આજના નિર્ણયો મુંબઈ ક્રિકેટના સ્તંભો પ્રત્યેના અમારા ઊંડા આદર અને મજબૂત ભવિષ્યના નિર્માણના અમારા દૃઢ નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ

ગુજરાત

+.૦૮૧

દિલ્હી

+.૮૯૯

બૅન્ગલોર

+.૬૭૨

પંજાબ

+.૧૭૨

 

લખનઉ

+.૦૮૬

 

કલકત્તા

+.૫૪૭

 

મુંબઈ

+.૧૦૪

રાજસ્થાન

-.૮૩૮

હૈદરાબાદ

-.૨૪૫

 

ચેન્નઈ

-.૨૭૬

 

mumbai cricket association sharad pawar rohit sharma wankhede cricket news mumbai news sports news