પંચગવ્ય ખાઓ, ખુદ જાન જાઓ

15 March, 2020 09:57 AM IST  |  Mumbai Desk

પંચગવ્ય ખાઓ, ખુદ જાન જાઓ

મહાસભાના પ્રેસિડન્ટ ચક્રપાણી મહારાજે કેટલાક સાથીઓની સાથે પંચગવ્યનો ગ્લાસ ગટગટાવ્યો હતો.

કોઈ પણ પ્રકારના વિષાણુથી શરીરને રક્ષિત કરવા માટે ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ગાયનાં ઉત્પાદનોનું અનોખું માહાત્મ્ય છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ ગઈ કાલે લોકોને પંચગવ્ય ખાવાની ભલામણ કરી હતી. એ માટે મહાસભાના પ્રેસિડન્ટ ચક્રપાણી મહારાજે કેટલાક સાથીઓની સાથે પંચગવ્યનો ગ્લાસ ગટગટાવ્યો હતો. પંચગવ્યમાં ગાયનું ગોબર, ગોમૂત્ર, દૂધ, દહીં અને ઘી એમ પાંચ ચીજોનું મિશ્રણ બનાવવામાં આવ્યું હોય છે. આ મિશ્રણ કોરોના વાઇરસનો ફેલાવો રોકવામાં મદદરૂપ છે એવો તેમનો દાવો છે.

offbeat news coronavirus national news