15 March, 2026 10:29 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent
૨૧,૦૦૦ લીટર ઘી ભરેલું ટૅન્કર ઊથલી પડ્યું, લોકો બાલદી ભરીને ઘી ભરવા માંડ્યા
પુણેથી તિરુમાલા મંદિર માટે જઈ રહેલું ૨૧,૦૦૦ લીટર ઘીનું ટૅન્કર આંધ્ર પ્રદેશના કોન્ડાપુરમ પાસે ઊથલી પડતાં રોડ પર જ ઘી ઢોળાઈ ગયું હતું. ગરમીને કારણે ઘી પીગળી જતાં ઘીની નદીઓ વહેવા લાગી હતી. આ ઘટનાની સ્થાનિક લોકોને ખબર પડતાં જ તેઓ જે હાથમાં મોટું વાસણ મળ્યું એ લઈને ઘી ભરીને લઈ જવા માટે ઊમટી પડ્યા હતા.