રે કળિયુગ, અર્થીમાંથી પિતાના અંગૂઠાની છાપ દીકરાએ કોરા કાગળ પર લીધી

15 August, 2026 02:35 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

આ કામમાં તેનો પિતરાઈ ભાઈ પણ મદદ કરતો દેખાય છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

માતાપિતાના મૃત્યુ પછી સંતાનો તેમની સંપત્તિ માટે કોર્ટે ચડતાં હોય છે અને ક્યારેક તો માબાપની હયાતીમાં જ તેમની પાસેથી જબરદસ્તીથી સંપત્તિ હડપવાની કોશિશ કરતાં હોય છે. જોકે ઉત્તર પ્રદેશના લખનઉમાં માનવતાને શરમાવે એવો કિસ્સો બન્યો. પિતાના મૃત્યુ પછી તેમના શબને અર્થી પર મૂકવામાં આવ્યો એ પછી દીકરો એક કોરો કાગળ લાવે છે અને એના પર શબની આંગળીઓની છાપ લે છે. આ કામમાં તેનો પિતરાઈ ભાઈ પણ મદદ કરતો દેખાય છે. પિતાના મૃત્યુનો મલાજો ન જાળવનારા આ દીકરાની કરતૂતોનો કોઈ ગામવાસીએ ચોરીછૂપીથી વિડિયો બનાવી લીધો હતો. અલબત્ત, આ મામલે કોઈએ ફરિયાદ નથી કરી કે નથી પોલીસની કાર્યવાહી થઈ. 

lucknow offbeat news national news news