07 August, 2020 11:03 AM IST | Mumbai Desk | Mumbai correspondent
જપાનની ટ્રામ
જપાનના હિરોશિમા પર ૭૫ વર્ષ પહેલાં છઠ્ઠી ઑગસ્ટે પરમાણુ હુમલો થયો હતો. વિશ્વના એ સૌપ્રથમ ઍટમિક બૉમ્બ અટૅકમાં બચી ગયેલી એ વખતની ટ્રામને હજીયે સાચવી રાખવામાં આવી છે. દર વર્ષે આ દિવસે પરમાણુ હુમલાનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ વર્ષે ૭૫મું વર્ષ હોવા છતાં કોરોનાને કારણે ખાસ કાર્યક્રમો નથી યોજાયા, પરંતુ જૂની ટ્રામને હાલની નવી ટ્રામ સાથે હિરોશિમા સ્ટેશન પર લાવવામાં આવી હતી.