શ્રદ્ધાના દાંતથી શરીરના ટુકડાઓની થઈ શકે છે ઓળખ, એવું કહ્યું આ ડૉક્ટરે

18 November, 2022 01:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જો પોલીસ તેમને એક દાંત પણ આપે તો તેઓ કહી શકે છે કે મૃતદેહના ટુકડા શ્રદ્ધાના છે કે નહીં.

શ્રદ્ધાના દાંતથી શરીરના ટુકડાઓની થઈ શકે છે ઓળખ

દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ (Shraddha Murder Case)ને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ પોલીસ હજુ પણ પુરાવા શોધવામાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ડૉક્ટરે દાવો કર્યો છે કે જો પોલીસ શ્રદ્ધાનો દાંત તેની પાસે લાવે તો તે તેના શરીરના ટુકડાઓ ઓળખી શકશે. હિન્દી અખબાર નવભારત ટાઈમ્સ અનુસાર, મુંબઈના દંત ચિકિત્સક ડૉ. વિવેકાનંદ રેગેનું કહેવું છે કે જો પોલીસ તેમને એક દાંત પણ આપે તો તેઓ કહી શકે છે કે મૃતદેહના ટુકડા શ્રદ્ધાના છે કે નહીં.

ડૉ. વિવેકાનંદ કહે છે કે પોલીસે દિલ્હીના જંગલમાંથી તેમની ખોપરી પણ મેળવી હશે, પરંતુ તે ખોપરી ઓળખી શકાશે નહીં. જોકે ખોપરીના દાંત તપાસમાં ઘણી મદદ કરી શકે છે. ડો.રેગેએ જણાવ્યું હતું કે મૃત શરીરના દાંતની અંદરની ચેતા મરી ગઈ હશે, પરંતુ દાંતને ડ્રિલ કર્યા બાદ મૃત નસ કાઢીને તેના ડીએનએ સેમ્પલ લઈ શકાશે. આ નમૂનાને શ્રદ્ધાના પિતાના દાંતની ચેતા સાથે મેચ કરી શકાય છે. આ સાથે ડોક્ટરે કહ્યું કે તેમની દીકરીની મૃત નસને પણ પિતાના થૂંક સાથે મેચ કરી શકાય છે.

શ્રદ્ધા હત્યા કેસમાં મૃતદેહના ટુકડાને દાંત વડે ઓળખનાર ડૉ.વિવેકાનંદ રેગે બીજા કોઈ નહીં પણ આતંકવાદી કસાબને દાંતથી પુખ્ત સાબિત કરનાર ડૉક્ટર છે. 26/11ના મુંબઈ આતંકી હુમલા સમયે, ડૉ. રેગે એ પેનલનો ભાગ હતા જેણે અજમલ કસાબને પુખ્ત સાબિત કર્યો હતો. કસાબ પુખ્ત છે કે સગીર તે જાણવા માટે કોર્ટે ડોક્ટરોને એક પેનલ બનાવવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે પોલીસની ટીમ આરોપી આફતાબ અમીન પૂનાવાલા વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવા માટે ઘણી જગ્યાએ સર્ચ કરી રહી છે. પોલીસ પહેલા તે હથિયારની શોધ કરી રહી છે જેના વડે આફતાબે શ્રદ્ધાને અનેક ટુકડા કરી દીધા હતા.

national news delhi news Crime News