Rajasthan Politics: ગેહલોત જુથ પર કોંગ્રેસનો ફુટ્યો ગુસ્સો, એક કોંગી નેતાએ કહ્યું આવું

26 September, 2022 12:05 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Online Correspondent

અજય માકને કહ્યું કે વિધાનસભ્યો માટે ધારાસભ્ય દળની બેઠકમાં ન આવવું અને અલગ બેઠક કરવી એ અનુશાસનહીન છે.

અશોક ગેહલોત

રાજસ્થાન કોંગ્રેસ (Rajasthan Congress)માં ચાલી રહેલી રાજકીય ધમાસાણ વચ્ચે કોંગ્રેસ નેતૃત્વએ ગેહલોત કેમ્પના રાજીનામા પર નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કહ્યું છે કે ધારાસભ્યો માટે વિધાનમંડળ દળની બેઠકમાં ભાગ ન લેવો એ અનુશાસનહીન છે. આ અંગે કાર્યવાહી થઈ શકે છે.

અજય માકને કહ્યું, "વિધાનસભ્યો માટે ધારાસભ્ય દળની બેઠકમાં ન આવવું અને અલગ બેઠક કરવી એ અનુશાસનહીન છે, આ ધારાસભ્યો અમારી વાત સાંભળી રહ્યા ન હતા, અમે પાછા જઈને સોનિયા ગાંધીને રિપોર્ટ કરીશું."

કેટલા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું તે સ્પષ્ટ નથી

માકને કહ્યું કે અમે દિલ્હી જઈ રહ્યા છીએ. અમને આશા છે કે અમે વાત કરીશું અને ઉકેલ શોધીશું. માકને કહ્યું કે શાંતિ ધારીવાલના ઘરે આયોજિત મીટિંગ પ્રથમ દૃષ્ટિએ અનુશાસનહીન હતી. આ અનુશાસનની શ્રેણીમાં આવે છે.

માકને જણાવ્યું હતું કે કેટલા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તે સ્પષ્ટ નથી. ઠરાવ એક લીટીનો છે. તેમણે કહ્યું કે ગઈ કાલે જે કંઈ પણ થયું, તે ઘટનાની સંપૂર્ણ માહિતી સોનિયા ગાંધીને આપશે. અમે ધારાસભ્યો સાથે વન ટુ વન વાતચીત માટે આવ્યા હતા, પરંતુ અમે કોઈની સાથે વાત કરી શક્યા ન હતા. મુખ્યમંત્રી પદ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

માકન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના રાષ્ટ્રીય નિરીક્ષક તરીકે જયપુર પહોંચ્યા હતા. રવિવારે તેઓ નવા સીએમની પસંદગી માટે કોંગ્રેસના ધારાસભ્યોના અભિપ્રાય જાણવા માટે બેઠક યોજવાના હતા, પરંતુ ગેહલોત તરફી ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા ન હતા. આ દરમિયાન સમાચાર આવ્યા કે 92 ધારાસભ્યોએ સ્પીકર સીપી જોશીને તેમના રાજીનામા સોંપી દીધા છે.

કોંગ્રેસના ઈતિહાસમાં ક્યારેય શરતી ઠરાવ પસાર થયો નથી.

માકને કહ્યું કે ધારાસભ્ય દળની બેઠકમાં ન આવવું એ અનુશાસનહીન છે. આ સાથે માકને ગેહલોત કેમ્પના ધારાસભ્યો દ્વારા મુકવામાં આવેલી ત્રણ શરતોને પણ `હિતોનો ટકરાવ` ગણાવી હતી. કોંગ્રેસના ઈતિહાસમાં ક્યારેય આવો શરતી ઠરાવ પસાર થયો નથી. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના કેટલા ધારાસભ્યોએ સ્પષ્ટતા કરી છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. અધિકૃત મીટિંગમાં હાજરી ન આપવી અને તેની સાથે સમાંતર બીજી મીટીંગ બોલાવવી એ ચોક્કસપણે અનુશાસનહીન છે.

national news rajasthan congress Ashok Gehlot