ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ સબમિટ થયો

14 March, 2026 10:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બન્ને ગૃહોમાં સુપરત કરાયેલી નોટિસ પર કુલ ૧૯૩ સંસદસભ્યોના હસ્તાક્ષર

ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમાર

વિપક્ષી ગઠબંધને મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદનાં બેઉ સદનમાં મહાભિયોગ નોટિસ આપી છે અને એના પર ૧૯૩ સંસદસભ્યોના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લોકસભાના ૧૩૦ અને રાજ્યસભાના ૬૩ સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. નિયમો મુજબ લોકસભામાં ૧૦૦ અને રાજ્યસભામાં ૫૦ સંસદસભ્યોના હસ્તાક્ષર જરૂરી છે. લોકસભાના સચિવાલયને તૃણમૂલ કૉન્ગ્રેસની આ નોટિસ મળી છે. વિપક્ષો આજે આ નોટિસ સર્વ કરશે.

election commission of india Lok Sabha Rajya Sabha national news news