12 May, 2022 09:21 AM IST | Srikakulam | Gujarati Mid-day Correspondent
મંગળવારે સુન્નાપલ્લી દરિયાઈ કાંઠે પાણીમાંથી એક રથને ખેંચીને કિનારે લાવી રહેલા લોકો
આંધ્ર પ્રદેશમાં ચક્રવાત અસાનીની અસરો વચ્ચે મંગળવારે રાજ્યના શ્રીકાકુલમ જિલ્લામાં સુન્નાપલ્લી દરિયાઈ કાંઠે દરિયાની લહેરો પર સવાર થઈને એક રહસ્યમય સોનેરી રથ આવતો જોવા મળ્યો હતો. એક વિડિયોમાં પાણીમાંથી આ રથને ખેંચીને કિનારે લાવી રહેલા લોકો જોવા મળ્યા હતા.
શ્રીકાકુલમ જિલ્લાના નૌપદાના સબ-ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે આ ઘટના વિશે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટને જણાવવામાં આવ્યું છે. એ કદાચ બીજા કોઈ દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ઇન્ટેલિજન્સની સાથે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે.
એવી અટકળો વ્યક્ત કરાઈ રહી છે કે આ રથ મ્યાનમાર, થાઇલૅન્ડ, મલેશિયા કે ઇન્ડોનેશિયા જેવા કોઈ દેશનો હોઈ શકે છે.