મણિપુરમાં હિંસામાં ૫૪ જણનાં મૃત્યુ, હજી અજંપાભરી શાંતિ

07 May, 2023 11:44 AM IST  |  Imphal | Gujarati Mid-day Correspondent

બિનસત્તાવાર આંકડો એના કરતાં અનેકગણો વધારે હોવાનું સોર્સિસ જણાવી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

મણિપુરમાં ફાટી નીકળેલાં તોફાનોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૫૪ થઈ છે. જોકે, બિનસત્તાવાર આંકડો એના કરતાં અનેકગણો વધારે હોવાનું સોર્સિસ જણાવી રહ્યા છે. અહીં અજંપાભરી શાંતિ છે. દુકાનો અને માર્કેટ્સ ફરીથી ખૂલ્યાં છે અને રસ્તાઓ પર કાર્સ દોડતી જોવા મળી હતી. આર્મી અને રૅપિડ ઍક્શન ફોર્સિસ તેમ જ સેન્ટ્રલ પોલીસ ફોર્સિસના વધુ જવાનોને મણિપુરમાં તહેનાત કરવામાં આવ્યા છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક છે. તમામ મહત્ત્વના એરિયા અને રસ્તાઓ પર જવાનોની હાજરી સ્પષ્ટ જોવા મળે છે. ઇમ્ફાલ અને અન્ય સ્થળોએ મોટા ભાગની દુકાનો અને માર્કેટ્સ સવારે ખુલ્લી હતી.

national news manipur