14 February, 2022 05:16 PM IST | Karnataka | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હાઈકોર્ટે કહ્યું કે અમે મીડિયાને વિનંતી કરવા માંગીએ છીએ કે “કૃપા કરીને વધુ જવાબદાર બનો. આવો આપણે સૌ રાજ્યમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરીએ અને જવાબદાર નાગરિકોની જેમ વર્તીએ.” આ મામલે વધુ સુનાવણી આવતી કાલે બપોરે 2.30 કલાકે હાથ ધરવામાં આવશે.
કોર્ટે આજે કહ્યું કે અમારી એક જ વિનંતી છે કે “મીડિયા લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પોતાની જવાબદારી નિભાવે.” એડવોકેટ સુભાષ ઝાએ કહ્યું કે “હું તમામ પક્ષકારોના વકીલોને વિનંતી કરવા માંગુ છું કે તેને સાંપ્રદાયિક રંગ ન આપો.” અરજદારોના વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે હસ્તક્ષેપની અરજીઓનો વિરોધ કરતા કહ્યું કે “આ સમયે તેમની દલીલો પર ધ્યાન આપવું જોઈએ નહીં.”
હાઈકોર્ટે કહ્યું કે તે કોર્ટ સમક્ષ સીધી દાખલ કરવામાં આવતી કોઈપણ દખલગીરીની અરજીને ધ્યાનમાં લેશે નહીં. કોઈપણ તાકીદની અરજી યોગ્ય કાઉન્ટર પર દાખલ કરવાની રહેશે અને કોર્ટ સમક્ષ નહીં. “તેને કાઉન્ટરની સામે ફાઇલ કરો અને તેને અમારી સમક્ષ આવવા દો.” અરજદારોની દલીલો શરૂ કરતા દેવદત્ત કામતે કહ્યું કે “સરકારી આદેશ (GO) કલમ 25ના મૂળમાં છે અને તે વાજબી નથી.” તેમણે કહ્યું કે “સરકારના આદેશમાં જાહેર કરવામાં આવ્યું હતું કે હિજાબ પહેરવું કલમ 25 હેઠળ આવતું નથી, તે સંપૂર્ણપણે ખોટું છે.”
કામતે કહ્યું કે સરકારી આદેશ બે બાબતો કહે છે:
કામતે કહ્યું કે “તો શું ધારાસભ્ય અને કેટલાક ગૌણ અધિકારીઓની બનેલી કૉલેજ વિકાસ સમિતિ મૂળભૂત સ્વતંત્રતાનો ઉપયોગ કરવાનું નક્કી કરી શકે છે? કાયદાકીય સત્તાને આપણા મૂળભૂત અધિકારોના સંરક્ષક કઈ રીતે બનાવી શકાય?” કામતે ઉમેર્યું કે “કલમ 25ના અધિકારો અન્ય અધિકારોની જેમ સામાન્ય વાજબી પ્રતિબંધોને આધીન નથી.”