11 February, 2021 11:14 AM IST | Jodhpur
સલમાન ખાન
બૉલીવુડ અભિનેતા સલમાન ખાને તેના પર ચાલી રહેલા કાળિયારના શિકાર કેસમાં ખોટું સોગંદનામું જમા કરાવવા બદલ ગયા મંગળવારે માફી માગતાં આ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર સલમાને જણાવ્યું છે કે આ ભૂલથી થયું હતું.
સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે જણાવ્યું હતું કે, ૮ ઑગસ્ટ, ૨૦૦૩ના રોજ ભૂલથી અદાલતને ખોટી એફિડેવિટ સુપરત કરવામાં આવી હતી.