જેએનયુની દીવાલોને બ્રાહ્મણ વિરોધી સૂત્રોથી રંગવામાં આવી

03 December, 2022 08:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે

જેએનયુના કૅમ્પસમાં સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ-IIના બિલ્ડિંગની દીવાલો પર બ્રાહ્મણ અને વૈશ્ય સમુદાયની વિરુદ્ધનાં સૂત્રો.

નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના કૅમ્પસનાં અનેક બિલ્ડિંગને ગુરુવારે બ્રાહ્મણ વિરોધી સૂત્રોથી રંગવામાં આવી હતી. એના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

સ્ટુડન્ટ્સનો દાવો છે કે સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ-II ભવનની દીવાલોને બ્રાહ્મણ અને વૈશ્ય સમુદાયની વિરુદ્ધ સૂત્રોથી પેઇન્ટ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા ઍડ્વોકેટ વિનીત જિન્દલે આ મામલે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. 

national news jawaharlal nehru university