ભારતમાં થઈ શકે છે પુલવામા કરતા પણ મોટો આતંકી હુમલો, રિપોર્ટમાં ખુલાસો

30 April, 2019 10:28 AM IST  |  દિલ્હી

ભારતમાં થઈ શકે છે પુલવામા કરતા પણ મોટો આતંકી હુમલો, રિપોર્ટમાં ખુલાસો

પાકિસ્તાનની આઇએસઆઇ ભારતમાં મોટા પાયે હુમલા કરાવવા માટે જૈશ-એ-મોહમ્મદ અને આઇએસઆઇએસ આ આતંકીઓને નજીક લાવી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ ગૃહમંત્રાલયને મોકલેલા એક અહેવાલમાં આમ જણાવ્યું છે. અહેવાલ અનુસાર આઇએસઆઇએ થોડા દિવસો પહેલાં જ અફઘાનિસ્તાનમાં જૈશ અને આઇએસઆઇએસના આતંકવાદીઓ વચ્ચે બેઠક કરાવી હતી. એટલું જ નહીં, આઇએસઆઇ જૈશ અને તલિબાનીઓ વચ્ચે પણ બેઠક કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી મથામણ કરી રહી છે જેથી કરીને કાશ્મીરમાં પુલવામા જેવા વધુમાં વધુ હુમલા કરાવી શકે.

national news terror attack