21 September, 2023 03:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
લોકસભામાં મહિલા અનામત બિલને સપોર્ટ આપતાં કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીએ ગઈ કાલે એના તાત્કાલિક અમલ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ઓબીસી માટે ક્વોટાની જોગવાઈ વિના આ બિલ અધૂરું છે.
આ બિલ માટેની ચર્ચા દરમ્યાન રાહુલે જાતિ આધારિત વસ્તીગણતરી પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારત સરકારના ૯૦ સચિવોમાંથી ત્રણ જ ઓબીસી છે અને બજેટના પાંચ ટકા જ કન્ટ્રોલ કરે છે, જે પછાત વર્ગોનું અપમાન છે. જોકે બાદમાં રાહુલના આ દાવા વિશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘મોદી સરકારમાં ૨૯ ઓબીસી પ્રધાન છે. અમારી સરકારમાં ૮૫ ઓબીસી સંસદસભ્યો છે. એટલું જ નહીં, અમારી પાર્ટીમાં ૨૭ ટકા વિધાનસભ્યો ઓબીસી છે.’