15 December, 2025 08:28 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
કૉંગ્રેસ પાર્ટીએ સોમવારે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર પટનામાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ મહિલા ડૉક્ટરનો હિજાબ ઉતારતો એક વીડિયો અંગે હવે વિવાદ શરૂ થયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શૅર કરતા કૉંગ્રેસે લખ્યું, “આ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર છે. તેમની બેશરમી જુઓ, એક મહિલા ડૉક્ટર તેનો એપોઇન્ટમેન્ટ લેટર લેવા આવી હતી, અને નીતિશ કુમારે તેનો હિજાબ ઉતારી દીધો.”
રાજ્યમાં મહિલાઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા પાર્ટીએ ઉમેર્યું, “બિહારમાં સર્વોચ્ચ પદ સંભાળતો એક પુરુષ ખુલ્લેઆમ આવા ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાયેલો છે. વિચારો, રાજ્યમાં મહિલાઓ કેટલી સુરક્ષિત રહેશે?” તેમના રાજીનામાની માગ કરતા કૉંગ્રેસે કહ્યું, “નીતીશ કુમારે આ ઘૃણાસ્પદ વર્તન માટે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. આ ઘૃણાસ્પદ કૃત્ય અક્ષમ્ય છે.” અહેવાલો અનુસાર, આ ઘટના મુખ્ય પ્રધાન નિવાસસ્થાને યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ સમારોહ દરમિયાન બની હતી, જ્યાં નવા ભરતી થયેલા આયુષ ડૉક્ટરોને તેમના નિમણૂક પત્રો સોંપવામાં આવી રહ્યા હતા.
વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ નુસરત પરવીન તરીકે થઈ છે. ફૂટેજમાં, નિતીશ કુમાર નિમણૂક પત્ર આપ્યા પછી અને તેને ઉતારવાની સૂચના આપ્યા પછી તેને તેના માથાના સ્કાર્ફ વિશે પૂછતા અને તેને ઉતારવાની સૂચના આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે તે જવાબ આપે તે પહેલાં જ સીએમએ કથિત રીતે યુવતીનો હિજાબ પોતે જ ઉતારી દીધો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય પ્રધાનના આ પગલાથી મહિલા સ્પષ્ટપણે ચોંકી ગઈ હતી, જ્યારે કાર્યક્રમમાં હાજર અન્ય પાછળ સ્ટેજ ઊભા રહીને પર હસતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, કાર્યક્રમમાં કુલ 1,283 આયુષ ડૉક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા, જેમાં 685 આયુર્વેદિક, 393 હોમિયોપેથિક અને 205 યુનાની પ્રેક્ટિશનરોનો સમાવેશ થાય છે. તેમ છતાં બિહાર સીએમની આ હરકતથી ચોક્કસ પણે આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે, અને જેથી હવે તે વિવાદ આગળ કેટલો વધશે તેના પર હવે નજર છે.
કૉંગ્રેસની રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોના ઉપયોગ અંગે સંસદમાં ઉગ્ર ચર્ચા શરૂ થઈ. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે સોનિયા ગાંધીએ આ માટે માફી માગવી જોઈએ. કૉંગ્રેસની રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની "કબર ખોદવા" અંગેના નિવેદનથી સોમવારે સંસદમાં ભારે હોબાળો થયો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંસદમાં કૉંગ્રેસના પીએમ વિરોધી નારાઓ પર ગુસ્સે ભરાયા. જેપી નડ્ડાએ કહ્યું, "ખૂબ જ દુઃખ અને ભારે હૃદય સાથે, હું એક એવી ઘટનાને પ્રકાશમાં લાવવા માંગુ છું જ્યાં ગઈકાલે કૉંગ્રેસની રેલીમાં નારા લગાવવામાં આવ્યા હતા, `મોદી, તમારી કબર ખોદવામાં આવશે, જો આજે નહીં તો કાલે.` આ નારા કૉંગ્રેસ પાર્ટીની વિચારસરણી અને માનસિકતાને પ્રતિબિંબિત કરે છે." જેપી નડ્ડાએ કહ્યું કે સોનિયા ગાંધીએ પીએમ મોદી વિરુદ્ધ ઉપયોગમાં લેવાયેલા અપશબ્દો માટે માફી માંગવી જોઈએ.