છત્તીસગઢનું બસ્તર ૪૦ વર્ષ પછી નક્સલમુક્ત

30 May, 2025 10:41 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

૧૯૮૦ના દાયકાથી અહીં નક્સલવાદ ફૂલીફાલી રહ્યો હતો અને એટલો બધો વધી ગયો હતો કે જિલ્લાનો વિકાસ પણ મુશ્કેલ બની રહ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

દાયકાઓથી નક્સલવાદ સામે લડી રહેલા છત્તીસગઢના બસ્તર જિલ્લાને હવે કેન્દ્ર સરકારે નક્સલમુક્ત જાહેર કર્યો છે. સુરક્ષાદળોએ તાજેતરમાં ઘણા મોટા નક્સલ કમાન્ડરોને મારી નાખ્યા બાદ કેન્દ્ર સરકારે હવે આ જાહેરાત કરી છે. ૧૯૮૦ના દાયકાથી અહીં નક્સલવાદ ફૂલીફાલી રહ્યો હતો અને એટલો બધો વધી ગયો હતો કે જિલ્લાનો વિકાસ પણ મુશ્કેલ બની રહ્યો હતો.

chhattisgarh terror attack indian government national news news