સલમાન, શાહરુખ અને આમિર ખાન ડ્રગ્સનો કરે છે નશો, બાબા રામદેવે આપ્યું નિવેદન

16 October, 2022 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) હાલમાં જ એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં તેમણે મંચ પરથી લોકોને નશા મુક્તિ ભારત વિશે જાગૃત કર્યા હતા.

સલમાન ખાન, બાબા રામદેવ અને શાહરુખ ખાન

યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) હાલમાં જ એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં તેમણે મંચ પરથી લોકોને નશા મુક્તિ ભારત વિશે જાગૃત કર્યા હતા. આ દરમિયાન બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન(Salman Khan)અને શાહરૂખ ખાન(Shah Rukh Khan)તેના નિશાના પર હતા. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકો વિરુદ્ધ માદક પદાર્થ અને ડ્રગ્સનો આરોપ લગાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

આટલું જ નહીં, બાબા રામદેવે જિન્નાહ પર પણ જોરદાર નિશાન સાધતા, દારૂને ઈસ્લામમાં હરામ અને પીનારને અપવિત્ર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિની ફરજ છે કે આપણામાંથી કોઈએ સિગારેટ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. આમાં આર્ય સમાજે જે કામ કર્યું છે તેની આજે વધુ જરૂર છે. તેમનું કહેવું છે કે જો સમગ્ર રાષ્ટ્ર નશામુક્ત થઈ જશે તો મહર્ષિ દયાનંદનું સપનું સાકાર થશે. કાયદો લાવવાથી આવું નહીં થાય. આ માટે લોકોએ જાતે જ વિચારવું પડશે.

`માત્ર પવિત્ર સમાજ આર્ય સમાજ છે`

તેમણે કહ્યું કે ઇસ્લામમાં દારૂ પીનારને અપવિત્ર કહેવામાં આવે છે, તો આપણે ઋષિમુનિઓના વંશજ છીએ. આપણે સિગારેટ અને દારૂની દરેક ખરાબ આદતથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે જો લોકોએ ઇસ્લામમાં દારૂ છોડી દીધો, તો તેઓ બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા અને ડ્રગ્સ લેવા લાગ્યા. આજે એક જ પવિત્ર સમાજ છે, તે આર્ય સમાજ છે. આ સાથે જ બાબા રામદેવે બૉલિવૂડના ઘણા કલાકારો પર પણ નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચોઃદેશભરમાં આજે વડાપ્રધાન મોદી 75 ડિજિટલ બેન્કિંગ યુનિટનું કરશે ઉદ્ધાટન

બાબા રામદેવે કહ્યું કે તાજેતરમાં જ શાહરૂખ ખાનનો પુત્ર ડ્રગ્સનું સેવન કરીને જેલમાંથી બહાર આવ્યો છે. સલમાન ખાન, આમિર ખાન અને બીજા ઘણા લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ લે છે. ચૂંટણી દરમિયાન દારૂનું પણ વિતરણ કરવામાં આવે છે. દરેક જગ્યાએ ડ્રગ્સનો દુરુપયોગ વધી રહ્યો છે. તેનું કહેવું છે કે તે નશા મુક્તિ માટે આંદોલન ચલાવશે.

national news baba ramdev Shah Rukh Khan aamir khan